Skip to main content

ભારતીય સાહિત્ય મીમાંસા: કવિરાજ શ્રી વિનોદભાઇ જોશીના પંચદિવસીય વક્તવ્યના શબ્દાલેખનો પ્રયાસ

काव्यशास्त्र विनोदेन कालोगच्छति धिमतां।
व्यसनेन तु मुर्खाणां निद्रया कलहेनवा।। (સંસ્કૃત સુભાષિત)
अर्थात: બુદ્ધિશાળી મનુષ્ય કાવ્યશાસ્ત્રથી આનંદ માણે છે અને જે વ્યસની અને મૂર્ખ છે તે ઊંઘ અને કલહમાં જીવન વેડફે છે.

મારા પ્રિય કવિરાજ વિનોદભાઇ જોશીને સાંભળવા તેઓનો અનુગ્રહ ગુજરાતી ભાષા સાહિત્યભવનમાં વિદ્યાગુરુ સ્વરૂપે પ્રાપ્ત થવો અને એમાં પણ તેઓના શ્રી મુખે એમ.એ. ના વિદ્યાર્થીઓ સંગાથે ભારતીય સાહિત્ય મીમાંસા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનું રસપાન કરવું અને આટલો ઉત્તમ યોગ અને આ લબ્ધી બહુમોટા ભાગ્યવાળાને જ સાંપડે. યથાર્થ કૃતાર્થ થયો. પંચ દિવસીય રસાસ્વાદન બદલ કવિરાજનો આભાર માનુ એટલો ઘટે. આ નોટ્સ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય માટે બ્લોગના માધ્યમથી કવિરાજના શબ્દ વડે વિતરીત કરવાનો એક નમ્ર પ્રયાસ છે. માતૃભાષામાં લખતા શીખું છું. જોડણી દોષો સુચવશો. ગમશે.

काव्यशास्त्र

પ્રથમ દિવસ
તારીખ: ૧૬/૦૧/૨૦૧૭, પોષ વદ ચતુર્થી, સોમવાર
સ્થળ: ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર
સમય: ૧૧ થી ૧

૧. ભૂમિકા થી સિદ્ધાંત તરફ:
What is Indian Poetics? મનોમય તર્ક કરવાનો છે. આપણને વસ્તુની ખબર હોય છે પણ વસ્તુતાની ખબર હોતી નથી. આપણે અનેક પ્રકારના જ્ઞાનની અવગણના કરીએ છીએ. શા માટે આપણે સાહિત્ય વાંચન કરીએ છીએ? માત્ર વાર્તા કે કથન સમજણ માટે? આનંદ મેળવવા માટે. સાહિત્ય આનંદ કેવીરીતે આપી શકે છે? એના ઘટકો ક્યા છે? What are the ingredients or components of Literature? ઘટકોનું સંયોજન કેવીરીતે થાય? આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ છીએ. It is our responsibility and we are answerable. સાહિત્યના રહસ્યોમાં, તેના ઊંડાણમાં આપણે જવું જૉઇએ. જવું જ જોઇએ. જેમ કોઇ શિલ્પકાર પથ્થરમાં મૂર્તિ નિહાળી શકે છે, તેમ શુ આપણને આપણે જે જૉઇએ તેના કરતા વધુ કાંઇ દેખાય? સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની આ વાત છે જેમાં માત્ર વસ્તુ નહિ પરંતુ વસ્તુતા પરત્વે અભિમુખ થવાનો વિચાર પ્રમુખ છે. કૉઇ નવલકથા વાંચીએ તો આપણી સમજ અનુસાર અર્થઘટન કરીએ. આહિત્યનો આનંદ સાપેક્ષ હોય છે. It is relative. અને તમે જે સમજશો તે બીજા નહિ સમજે. Concern કેહતા કે નિસ્બતનો વિચાર કરીએ ત્યારે આપણે સાવધ બનીએ છીએ. કલાનો સાક્ષાત્કાર એ વયક્તિક બાબત છે.

ભરત, આનંદવર્ધન, કુન્તક, મમ્મટ, વામન, ભામામાં મોટો તફાવત દેખાય છે. Western Criticism સાહિત્યના પ્રભાવ વિશે વધારે વાત કરે છે. Eastern or Indian Poetics એની પ્રક્રિયા પર વિચાર કરે છે. Indian Poetics વધુ સૂક્ષ્મ છે. વધુ એકાગ્ર થવું પડે. એમાં ચુંક્યા તો જોડાણ થવું મુશ્કેલ છે. ધ્યાનથી સાંભળવું.

ભારતીય સાહિત્ય મીમાંસાના સૂત્રધારો રસ, ધ્વનિ, અલંકાર, વક્રોક્તિ, અને રિતી છે.

૧. રસ: સાહિત્યમાં વ્યાપક રીતે કલામાં કેમ રસ પડે છે? આંનદ મળે છે. આનંદ કેમ મળે છે? કેવી રીતે મળે છે? કારણો શોધવા. Why do we like poetry? Why do we like some poems so much? Let's find out.. ભારતીય મીમાંસા આ કાર્ય કરે છે. રસ કેમ પડે છે એ વાત સર્વ પ્રથમ ભરત નામના મીમાંસકે કરી. ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રન્થ લખ્યો છે. અધ્યાય ૬ રસમીમાંસા કરાવે છે.  ભરતે સૂત્ર આપ્યું છે કેહતાકે રસની વ્યાખ્યા કરી છે. દુનિયામાં સૌથી વધુ અંગત હોય તે ભાવ છે. ભાવ નૈસરગિક છે. ભાવ કુદરતી છે. જાડા શબ્દોમાં કહીએ તો ગમા~અણગમાનો ભાવ જે જૂથમાં પણ રજૂ થાય. Commonness ભાવો દ્વારા આવે છે. Literature and Literature only helps us to understand life. ભરતમુનિએ આ ભાવોનું વિશ્લેષણ કર્યું છે. એ નૈસર્ગિક ભાવો નિર્મૂળ કરી શકાતા નથી. રોકી શકાય છે, ક્રોધ આવે તો એને રોકી શકાય પણ નિર્મૂળ ન કરી શકાય. પ્રેમ, ક્રોધ, દ્વેષ, વાત્સલ્ય, કરુણા બધા ભાવો છે.

किसीको चाहते रेहना गुन्हा तो नही। (ફિલ્મી ગીતની પંક્તિ છે.)બૃહદ વિશ્વ આપણી અંદર છે. સાહિત્ય આપણને એ દિશામાં અનુશાસ્ત્ર ભાવ દ્વારા કરે છે. ભરતના નાટ્યશાસ્ત્રનો સંવિભાવ છે:

विभावानुभावव्यभिचारी संयोगात रसनिष्पत्ति:।
अर्थात: ભાવ, વિભાવ, અનુભાવ, તથા વ્યભિચારી ભાવના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. વ્યભિચારી ભાવ અર્થાત સંચારી ભાવ. મિલન, વિયોગ, પૂનર્મિલન

અભિજ્ઞાન અર્થાત પ્રાપ્તિ.

આપણે ગુજરાતીમાં રૂપિયા એક હજાર પુરા એમ કહીએ જ્યારે અંગ્રેજીમાં rupees one thousand only એમ કહીએ. Completeness resides in Indian Poetics. ☺

વિભાવ
અનુભાવ
વ્યભિચારીભાવ
સંયોગને સમજવા કથા ઘટક હોવું જોઇએ.

અભિજ્ઞાન શકુન્તલમાં રાજા દુષ્યંત, न हंतव्य न हंतव्य। મૃગની હત્યા ન કરો. કણ્વ ઋષિનો આશ્રમ છે. ત્રણ કન્યાઓ વૃક્ષોને પાણી પાય છે. દુષ્યંત પોતાના આયુધ, અલંકારો ઉતારી આશ્રમમાં પ્રવેશે છે અને આ યુવતીઓને જુએ છે અને યુવતીઓ એ બાબતથી અજાણ છે. શકુન્તલા તરફ દ્રષ્ટિ સ્થિર થાય છે. ભ્રમર શકુન્તલા તરફ ફરી રહ્યો છે. શકુન્તલા તરફ દ્રષ્ટિવતે ફરી રહેલો દુષ્યન્ત પણ ભ્રમર રૂપ ભાવ છે. ઓથે છુપાયેલો છે. દુષ્યન્તને એ ભ્રમર પરત્વે દ્વેષ, દુષ્યન્તને શકુન્તલા પરત્વે શૃંગાર, રતિ, વિભાવ, અનુભાવ, કાલિદાસ વ્યક્ત કરે છે. જેના આધારે રસ વ્યક્ત થાય છે. ભાવોનું સમ્પ્રેશણ (send)~ ઝીલાય (receive) છે. Transmeters આપણી અંદર છે.

જેના આધારે રસ નિષ્પત્તિ થાય તે કારણોને વિભાવ કહેવામાં આવે છે. The reasons through which Rasa comes out is called Vibhaav.

વિભાવના પ્રકાર બે છે:
૧. આલંબન વિભાવ ~ inclined
૨. ઉદ્દીપન વિભાવ ~ stimulus / catalyst

ઉદ્દીપકની જીવનમાં પણ ખૂબ જરૂર હોય છે. રતિના કેહતાકે પ્રેમના ભાવસર્જન માટે કવિ કાલિદાસ ઉદ્દીપન રચે છે. આ વિભાવ બધે લાગુ પડે છે. વિભાવ નામની સંજ્ઞા સ્પષ્ટ થઇ.

અનુભાવ: પ્રતિક્રિયા reaction

દાખલા તરીકે: આશ્વારૂઢ થયેલ યોદ્ધો.

Action થી કાંઇ થતું નથી reaction થી જ બધુ થાય છે. અનુભાવ ક્રિયાનું અનુસંધાન થાય છે.

આકાંક્ષા, યોગ્યતા, અને સન્નીધી
Immediate reaction - પ્રતિક્રિયા

દુષ્યંત ભ્રમરને હટાવે છે. ત્રણેય કન્યાઓ સ્તબ્ધ બની બોલી ઉઠી, "અહીં આવીને તમે ક્યા નગરના લોકોને તમારા વિરાહથી વ્યાકુળ કરો છો?"

લાક્ષણિક રીતે અનુભવાય. ગોળ અમે ખંડનો સ્વાદ કેવો હોય? ગળ્યો. ગોળ અને ખાંડના ગળપણને સમજાવો. ન સમજાવી શકાય તફાવત. અનુભવી શકાય. ગુલાબ અને મોગરાના પુષ્પની સુગન્ધ. આપણી આસપાસનું અજ્ઞાત વિશ્વ, રહસ્ય વિસ્મય સર્જે છે. જેને કવિ રવીન્દ્રનાથ ટાગોર "અવગુંઠીત" શબ્દે પ્રયોજે છે.

वयं तत्वान्वेशान। આપણે શોધવાની મથામણમાં છીએ. અન્સૂયા, પ્રિયંવદા બોલે છે. શકુન્તલા મૂક છે. લજ્જા અનુભવે છે. આ પ્રતિક્રિયા છે. અનુભવાય છે.

કાલિદાસ કુમારસંભવનો એક પ્રસંગ, પાર્વતી નૃત્ય કરે છે. शैलाधिराज तनया...
શિવપાર્વતીનો અનુરાગ અનુભવાય છે. બન્નેના શૃંગારનો અનુભાવ પ્રગટ થાય છે. लीला कमल पत्राणि...

ઉત્તમ કલાકાર રસને અનગોપિત (આવૃત્ત) રાખે છે. વિભાવ, અનુભાવ, અને સંચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

સંચારીભાવ: સ્થિર નથી. સંચર્યા કરે. અવારનવાર આવ્યા કરે. થયા કરે. It simply floats within each one of us.

સ્થિરભાવને સ્થાયીભાવ તરીકે દર્શાવ્યા છે.
"સરળતા અઘરી છે."

સ્થાયીભાવ ભરતે ભાષ્ય દ્વારા સમજાવ્યું છે.
आहार निद्रा भय मैथुनश्च। ભરતે આવા આઠ ભાવ વર્ણવ્યા છે. નવમા રસનો પરિચય મમ્મટે કરાવ્યો. સ્થાયીભાવથી રસનિષ્પત્તિ થાય.

આ સ્થાયીભાવો કયા?

સ્થાયીભાવ > સાંચારીભાવ
રતી > શૃંગાર
શોક > કરુણ
ઉત્સાહ > વીર
ક્રોધ > રૌદ્ર
હાસ > હાસ્ય
ભય > ભયાનક
જુગુપ્સા (ચિતરી) > બિભત્સ્ય
વિસ્મય > અદભુત
શમ > શાંત

श्रृंगार करुण वीर रौद्र हास्य भयानका।
बिभत्यद्भुत शान्तश्च नव नाट्ये रासा: स्मृता ।।

ખેવના, ચીવટ, દાનત, તાત્પર્ય, એકાગ્રતા, જિજ્ઞાસા તમે જે કલા શીખો છો તેની દ્રષ્ટિ પરખવાની હોવી જોઇએ.

हिरा मुखसे ना बोले लाख हमारा मोल।

શબ્દો સાથેનું તાદાત્મ્ય સાધવું રહ્યું. રસ અને ધ્વનિ બે એવા સંપ્રદાય કેહતાકે સંસ્કૃતપરંપરાની વિદ્યાશાખા  (સ્કૂલ્સ) છે. Ref.: શંકરાચાર્ય, અને મમ્મટ

દ્વિતીય દિવસ: તારીખ: ૧૭/૦૧/૨૦૧૭

ભરતના રસસુત્રની વાત કરી. ભરતના રસનિદાનની વાત છે. ભાવ અને એમાં સ્થાયીભાવ. કેટલાક ભાવો તરલ છે. કેટલાક સ્થાયી. આપણા દરેકમાં સ્થાયીભાવ રહેલ છે. વાત્સલ્યરસ, અને ભક્તિરસ પણ છે. ઉદાહરણ તરીકે માતાને પોતાના બાળકને જૉઇને થતો હર્ષનો અનુભવ.
આ બધા રસ નાટકમાં જોવા મળે છે. ફિલ્મ પણ નાટકનો પ્રકાર છે. નાટકના પાત્રો, સ્થળો હોય છે. તમે શું જુઓ છો? અભિનેતા અભિનય કરે છે. પાત્ર ભજવે છે.. such as common characters.

તમે જ્યારે નાટક જુઓ છો ત્યારે તમે અભિનેતાને કે અભિનેત્રીને જુઓ છો. પ્રેમ નામની અભિવ્યક્તિ અભિવ્યક્ત થઇ રહી છે. જ્યારે આપણે નાટક કે ફિલ્મ જોઈએ છીએ ત્યારે આપણું ચિત્ત અનેક કાર્ય સમાંતરે કરે છે.

આકારને વાણી છે. વાત સૂક્ષ્મ છે. અભિનેતામાં પાત્ર દર્શન compromise છે. જ્યાં સુધી compromise હોય ત્યાં સુધી રસની અનુભૂતિ થાય નહિ.

સંયોગ શબ્દ ભરતે પ્રયોજયો. ભાવ, વિભાવ, અનુભાવ નો સંયોગ. રાસનુભવ શુ છે? કોને કહેવાય? Involvement - digital technology અનુસંધાન રચે છે. Compromise નથી પણ involvement છે જે acceptance લાવે છે. જીવનની ઘણી વસ્તુ ગમતી નથી પણ ચલાવી લઇએ છીએ. સ્વીકૃતિનો ભાર નહિ લાગે. Acceptanceમાં પ્રાપ્તિ કહેતા કે મેળવવાનો ભાવ છે. જ્યારે અભિનેતા દેખાય તે compromise, જ્યારે પાત્ર દર્શન થાય ત્યારે acceptance. Acceptance એ સંયોગ છે.

ભાષ્યકારો (anti-critics) સંયોગ પર વાર્તાલાપ કરે છે. રાસનુભવ ક્યાં થાય છે? નથી કહ્યું. કેવી રીતે થાય છે તેનું વર્ણન કરે છે. ભષ્યો થયા. અનેક ભાષ્યકારો પૈકી ચાર આચાર્યોએ કર્યું.

૧. ભટ્ટ લોલ્લટ
૨. શ્રી શંકુક
૩. ભટ્ટ નાયક
૪. અભિનવ ગુપ્ત

ભટ્ટ લોલ્લટ એમ કહે છે, "રસ હોતો નથી, રસને ઉત્પન્ન કરવો પડે છે." કેવી રીતે રસ ઉતપન્ન થાય? નાટકમાં પાત્ર દ્વારા રસનિષ્પત્તિ થાય. રતી નામના સ્થાયીભાવના ઉત્કર્ષ માટે શૃંગારરસની અભિવ્યક્તિ કરી છે. કવિ નિર્મિત પાત્ર અને તે પાત્રના અનુસંધાનની વાત લોલ્લટે કરી. મુળપાત્રોનો રસ endorse કરવો પડે. શ્યામ બેનેગલના આરોહણ ફિલ્મની નાયિકા દીપ્તિ ભટ્ટના ઉદાહરણ દ્વારા પ્રમાણ આપ્યું. પત્રકારે પૂછ્યું કે, "તમે ઇચ્છો ત્યારે તમે એ ભાવને તમારામાં ધારણ કરી શકો?" અને દિપ્તીબેને એ ભાવો પ્રત્યારોપિત કરી બતાવ્યા. તમે ઇચ્છો ત્યારે તમે ભાવને ધારણ કરી શકો છો. આપણી ભાષા, ભાવો બદલાઇ જાય છે. આપણી ભાષાના ભાવોને આપણે મેનેજ કરીએ છીએ. We all are actors. It is a part of our culture. Cultureમાં acting છે. Natureમાં acting નથી. ભટ્ટ લોલ્લટના આખા વાદને ઉત્પત્તીવાદ તરીકે ઓળખવામાં આવે છે.

૨. શ્રી શંકુક: અનુમાન, ધારણા. લીંબુ અને તેની ખટાશ. અનુમાનીત થયું તે રસ. ચિત્રતુરગનું ઉદાહરણ આપ્યું. ઘોડાના ચિત્ર દ્વારા ઘોડાની અનુભૂતિ. રસ અનુપાનથી જાગે. न च उदृश्यतै:... नवरस रुचितां जयतिम्। શ્રી શંકુકનો અનુમતિવાદ કહેવાય.

3.ભટ્ટ નાયક: ભુક્તિવાદ. ભિગવવું. તમે ગુલાબજામ્બુ જમો અને તમે તૃપ્ત થતા નથી. રસ હોય છે પણ ભોગવાય તો એ રસ છે. સાધરણીકરણનો સિદ્ધાંત આપ્યો. મૂળ પાત્રના ભાવ નટ પોતાનામાં અનુભવે અને પ્રેક્ષક પણ નટ દ્વારા આ ભાવ અનુભવે એને સાધરાનીકરણ કહે. રસની પ્રતિતિની તીવ્રતા જેમ જેમ એ રસ ભોગવાય તેમ તેમ અભિવૃદ્ધિ પામે. રસ જ્યાં સુધી ભોગવતો નથી ત્યાં સુધી પ્રતીતિ થતી નથી. પ્રતિતિના ૪ પ્રકાર છે.
     ૧. યથાર્થ પ્રતીતિ # આ દુષ્યંત છે.
     ૨. મિથ્યા પ્રતીતિ # આ દુષ્યંત નથી.
     ૩. સંશય પ્રતીતિ # આ દુષ્યંત હોઇ શકે.
     ૪. સાદૃશ્ય પ્રતીતિ # આ દુષ્યંત હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે.

આ ચાર પ્રતિતિઓ જીવનમાં આવવાની. Conviction. ભુક્તિવાદ છે.

સર્જકના ચિત્તમાં જે ભાવ જે કક્ષાએ હોય તે જ ભાવ ભાવકના ચિત્તમાં જાય છે. લેખક, પાત્ર, અને પ્રેક્ષકમાં સાધરણીકરણ.

૪. અભિનવ ગુપ્ત: ભોગવવા પૂરતું નથી પણ એની ચર્વણા (ચાવવું) churning થવું જોઇએ. સ્વાદ અને રસ જુદા છે. એની ચર્વણા કરો અને ઉપચય થાય ત્યારે રસાનુભૂતિ થાય. (વાગોળવું) ભોગવાય એ ચર્વણા. ભરતે રસનિષ્પત્તિ, રસના વિઘ્ન, રાસાભાસ, પેય મુદ્દા કહ્યા છે.

૨. ધ્વનિ: ધ્વનિવાદનો પ્રવર્તક આનંદવર્ધન. પ્રણેતા. સંપ્રદાય ધવન્યલોક છે જ્યાં ગતિ છે ત્યાં ધ્વનિ છે. ધ્વનિનું કારણ ગતિ છે.  શ્વાસોચ્છવાસની ગતિ. આપણે આ ધ્વનિની વાત નથી.

ધ્વન્યાર્થ: વ્યંજના: પ્રતિયમાન અર્થ. "એ બોલ્યો એનો ધ્વનિ શુ છે?" ધ્વનિ એટલે અર્થ એ શબ્દમાં હાલ વાત થાય છે. અવાજ નહિ. અર્થ શબ્દમાં હોય છે. શબ્દ અર્થની સહિતતા, સાહિત્ય. Meaningfulness.

સાહિત્યનું માધ્યમ ભાષા છે. પણ ભાષા વિજ્ઞાન વગર વિવેચન કેમ શક્ય છે? કૉઇ શબ્દને અર્થ હોતો નથી. અર્થ આરોપિત હોય છે. Imposed meaning. ભાષામાં અપણે અર્થો આરોપતા હોઇએ છીએ. કૉઇ મોડું આવે અને તમે કહો, "આજે તમે કેમ વહેલા આવ્યા?" આ ધ્વનિ. હંમેશા આપણે આ ધ્વનિ પકડવાની મથામણમાં હોઇએ છીએ. બધા એકસરખું સમજતા નથી. અભિજ્ઞાન શકુન્તલનું ઉદાહરણ, દુષ્યંત શકુન્તલાનો ત્યાગ કરે, મરિચિ ઋષિના આશ્રમમાં સર્વદમન (શકુન્તલાનો, પોતાનો પુત્ર) સિંહના બચ્ચા સાથે રમી રહ્યો છે. દુષ્યંત ચિંતિત છે. એજ વખતે કુટિરમાંથી શકુન્તલા બહાર આવે છે. એક તાપસી શંકુત (સારંગ / મોર) લાવી આપવા કહે છે. शंकुत: लावन्यम प्रेक्षस्व:। આ શકુન્તલનું લાવણ્ય જો. આ શબ્દની શક્તિ છે. સાહિત્યનો આનંદ આપણને એના નિષ્પન્ન થતા ધ્વનિ દ્વારા પ્રાપ્ત થાય છે.

મમ્મટ: કાવ્યશાસ્ત્રી, કાવ્ય શક્તિ, શબ્દ શક્તિ, અભિધા, લાક્ષણા, વ્યંજના, જે સાક્ષાત અર્થ મળે, જે साक्षात अभी:

બારી ઉઘાડી છે # મગજ ઉઘાડું છે.
ઘઉં દળાવ્યા # લોટ દળાવ્યો.

આપણે ૫૦% વાક્યોનો સીધો અર્થ લઇ શકતા નથી. લાક્ષણિક અર્થ નજીકનો અર્થ લેવો પડે. જે સર્જકમાં આવી અભિવ્યક્તિની આવડત હોય તે
शक्ति: संस्कार... त्वं विना काव्यं न प्रसरेत।
Poets are not born but poets are made.
કવિ જન્મતા નથી કવિ બને છે.

સાહિત્યનું પ્રત્યેક વાક્ય ગર્ભિત છે.
આ હાથ આખે આખો બળે.. પકડો કલમ ને..

ચિત્તની દારુણતા યાતના.
स्वसिद्धये पराक्षेप: पंचर्थमस समर्पणम....

વ્યંજનામાં સીધો અર્થ મળે પણ એ લેવાનો નથી. સરદાર પટેલના જીવન બાદ દેશે અંધારું થયું.
મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
મીઠા મેહુલા # લાક્ષણા
એ થી મીઠીરે મારી માત રે # વ્યંજીત છે. વ્યંજના.

काकेन दधि रक्षताम्। # કાગડાથી દહીંનું રક્ષણ કરવું. કવિતાનો આનંદ શબ્દ શક્તિથી આવે છે. Cowards die many times before their death. ~ Caeser, Shakespeare

ધ્વનિ એ જ કાવ્યનંદનું કારણ છે. ધ્વનિને સમજવા માટે સિદ્ધાંતો હોવા જોઇએ. અર્થ, અર્થવિચાર. Semantics. "ઓઢું ઓઢું તો તારી ચુંદડી." ધ્વનિ બદલાય. અર્થ બદલાય. આનંદ બદલાય.

આંનદવર્ધન - પ્રતિયમાન - વ્યંજના
ધ્વનિ માટે આનંદ છે. જે તમને આનંદ આપી શકે તે અનંદવર્ધનની થિયરી છે. ભાષા ઉકેલતી વખતે અભિધા, લક્ષણા, વ્યંજના (ધ્વનિ) સ્વરૂપે સમજીએ ત્યારે સાચો પડઘો પડશે. રામ રાવણનું યુદ્ધ રામાયણમાં આવે છે. સત્યનો અસત્ય સામેનો વિજય. આ એનો પ્રતિયમાન અર્થ છે. Twelfth Night by Shakespeareનુ ઉદાહરણ આપી સમજાવ્યું.

આપણે આપણી અસ્તિતાને involve કરીએ છીએ. "બ્રહ્મ લટકા કરે." નરસિંહ મહેતાનું ઉદાહરણ સમજાવ્યું.

જગતનું દરેક જ્ઞાન તુલનાત્મક છે. જ્ઞાન હમેંશા તુલનાથી જ મળે છે. અર્થ સઁક્રાંતિઓ વિશે વાત કરી.

"પાન પીળું થયું કેવી રીતે કોને ખબર!
જાડમાંથી શું ગયું કોને ખબર!"
~ કોને ખબર, રમેશ પારેખ

"મારી પાછળ હસ્તી એ રીતે વિસરાઈ ગઇ,
જળમાંથી આંગળી નીકળી અને જગા પૂરાઇ ગઈ."
~ ઓજસ પાલનપુરી

Comments

  1. ખુબજ સરળ પ્રસ્તુતિ છે sir

    ReplyDelete
  2. ભારતીય સાહિત્ય મીમાંસા એક એવો ખુબ જ જટિલ વિષય જે વિનોદ ભાઈ એ આટલી સરળતા અને ચીવટ થી વિદ્યાર્થીઓના ચિત માં ઉતારી દીધો... ખરા અર્થમાં તજજ્ઞ કેહવાય એવા વિનોદ ભાઈ નો હું આભારી સાથે તમારો પણ આભાર આવી માહિતી વિદ્યાર્થીઓને ખુબ જ લાભદાયક નીવડે છે .. આવી માહિતી પોસ્ટ કરતા રહો એવી શુભેચ્છા

    ReplyDelete
  3. સર આપનો ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete

Post a Comment

Please share your comments, interpretations, thoughts or ideas, view points, suggestions for improvement, findings, and correlation in this section.

Popular posts from this blog

Worksheet of Film Screening Robinson Crusoe (1997)

Students are requested t o prepare a p ersonal blog and share yo ur bloglinks in the co mment section of the blog so the records can be documented properl y and your blogs can help the stude nts in fut ure too. In English Department, MKBU First Semester Students screened the film adaptation Robinson Crusoe starring Pierce Brosnan as central character (Robinson Crusoe) after studying the text. This blog is designed to share the interpretations and findings of the students. After viewing the film there are few questions in my mind before asking the questions Let's face the facts . About The Film Author: Daniel Defoe (1616-1731) Genre: Novel Directors: Rod Hardy (as Rodney K. Hardy), George Miller   Screen play: Christopher Lofton , Tracy Keenan Wynn , Christopher Canaan Robinson Crusoe flees Britain on a ship after killing his friend over the love of Mary. A fierce ocean storm wrecks his ship and leaves him stranded by himself on

Satan and Saraswati: The Double Face of English in India

Smt. S. B. Gardi Department of English, Maharaja Krishnakumarsinhji Bhavnagar University Bhavnagar M.A. Semester 3 English Language Teaching 1 Unit 1: The role of English in India Dear Learners, Please read the presentation and the essay  'Satan and Saraswati: Double Face of English in India'   shared with you in the class and interpret the essay and blog it on your personal blogs. These blog tasks will help you to create your own reading material for your ELT 1 Paper and you'll also be able to understand the double face of English in India. The essay by E. Annamalai reflects the dual faces of English in India. It takes us back from the time of the independence and it accounts the good as well as the bad sides of English in India. There were language movements in India. Acceptance of English went through upheavals in India. It is an interesting essay. Read it. Interpret it and blog it.  Here's the presentation for you. Ma sem 3 Elt1 Unit 1